સાચો ઇલાહ પેદા કરવાવાળો છે, સાચા ઇલાહને છોડીને અન્યની બંદગી કરવાથી એવું સાબિત થશે કે તે પણ ઇલાહ છે. ઇલાહ હોવા માટે જરૂરી છે કે તે પેદા કરવાવાળો હોય, અને તેનો સ્પષ્ટ પુરાવા એ કે તે પેદા કરવાવાળો જ ઈલાહ છે, તેની પેદા કરેલી સૃષ્ટિને જોઈ માની શકાય અથવા તો તેણે ઉતારેલી વહી દ્વારા જેમાં તેણે પાલનહાર હોવાનું સાબિત કર્યું હોય. તેથી, જો આ પૂજ્યોને સમર્થન આપવા માટે કોઈ પુરાવા મળતા નથી, ન તો કોઈ સાક્ષી મળે છે, બ્રહ્માંડની રચનામાંથી અને ન તો સર્જકના શબ્દોમાંથી, તો આવા પૂજ્યો ચોક્કસપણે ખોટા પૂજ્યો છે.