શું મુસલમાનોના અકીદામાં પાછળના પયગંબરો પર ઈમાન રાખવું જરૂરી છે?

શું મુસલમાનોના અકીદામાં પાછળના પયગંબરો પર ઈમાન રાખવું જરૂરી છે?

તે દરેક પયગંબરો પર કોઈ ફર્ક કર્યા વગર ઇમાન લાવવું, જેને અલ્લાહએ માનવીઓ તરફ મોકલ્યા, જે મુસલમાનોના અકીદાના પાયા માંથી એક પાયો છે, જેના વગર તેનું ઈમાન સહીહ નહીં ગણાય. અને એ કોઈ પણ નબી અથવા પયગંબરનો ઇન્કાર કરવો એ દીનની મૂળભૂત બાબતોની વિરુદ્ધ છે. અને એ કે અલ્લાહના દરેક પયગંબરોએ છેલ્લા નબી મુહમ્મદ ﷺ ના આવવાની ખબર આપી. જેમકે કેટલાક નબીઓ અને પયગંબરો જેમણે અલ્લાહ એ અલગ અલગ કોમો તરફ મોકલ્યા, તેમના નામો કુરઆન મજીદમાં વર્ણન કરવામાં આવ્યા છે ( જેમકે નૂહ, ઈબ્રાહીમ, ઇસ્માઈલ, ઇસ્હાક, યાકૂબ, યૂસુફ, મૂસા, દાવૂદ, સુલૈમાન, ઈસા વગેરે...), કેટલાક બીજા પણ છે ,જેમનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મમાં કેટલાક ધાર્મિક પ્રતીકો (જેમ કે રામ, કૃષ્ણ અને ગૌતમ બુદ્ધ) અલ્લાહ દ્વારા મોકલવામાં આવેલા પયગંબરો હોવાની સંભાવના એ એક વિચાર છે, જે બાકાત નથી, પરંતુ આ બાબતે પવિત્ર કુરઆનમાંથી કોઈ પુરાવા મળતા નથી, તેથી મુસલમાનો આ કારણથી માનતા નથી. અકીદામાં ફેરફારો (અર્થાત્ જૂથો જાહેર થવા) ત્યારે આવ્યા, જ્યારે લોકોએ પોતાના પયગંબરોને પવિત્ર કર્યા અને અલ્લાહને બદલે તેમની ઈબાદત કરવા લાગ્યા.

Source

કેટેગરીઓ

related_questions

દીને એ જીવન જીવવાનો માર્ગ છે, જે માનવી માટે તેના સર્જક સાથે અને તેની આસપાસના લોકો સાથેના સંબંધને નિયંત્રિત કરે છે, અને તે આખિરતનો માર્ગ છે.

એક મુસલમાન સ્ત્રી પોતાના માટે ન્યાયની શોધ કરે છે, સમાનતાની નહીં, પુરુષો સાથે તેમની સમાનતા તેમને ઘણા અધિકાર અને ગુણવત્તાથી વંચિત કરી દે છે. માનીલો કે એક વ્યક્તિના બે છોકરાઓ છે, જેમાંથી એક પાંચ વર્ષનો છે અને બીજો અઢાર વર્ષનો છે, અને તે વ્યક્તિ બંને માટે એક એક ખમીઝ લેવા ...

આપણે ઈમાન અને સૃષ્ટિના પાલનહાર સામે ઝૂકવું આ બંને વચ્ચે તફાવત કરવો જોઈએ.

દુષ્ટતા અલ્લાહ તરફથી આવતી નથી, દુષ્ટતા અસ્તિત્વ ધરાવનાર વસ્તુ નથી, કારણ કે અસ્તિત્વ શુદ્ધ ભલાઈ છે.

ફરિશ્તાઓ: તે અલ્લાહનું એક સર્જન છે, પરંતુ તે એક મહાન સર્જન છે, તેમને નૂર વડે પેદા કરવામાં આવ્યા છે, તેઓને સત્કાર્યો કરવા માટે પેદા કરવામાં આવ્યા છે, તેઓ થાક્યા વગર પવિત્ર અલ્લાહની તસ્બીહ (પવિત્રતા) વર્ણન કરે છે અને ઈબાદત કરે છે.
સફળતાપૂર્વક મોકલ્યું