શું મુસલમાનોના અકીદામાં પાછળના પયગંબરો પર ઈમાન રાખવું જરૂરી છે?

શું મુસલમાનોના અકીદામાં પાછળના પયગંબરો પર ઈમાન રાખવું જરૂરી છે?

તે દરેક પયગંબરો પર કોઈ ફર્ક કર્યા વગર ઇમાન લાવવું, જેને અલ્લાહએ માનવીઓ તરફ મોકલ્યા, જે મુસલમાનોના અકીદાના પાયા માંથી એક પાયો છે, જેના વગર તેનું ઈમાન સહીહ નહીં ગણાય. અને એ કોઈ પણ નબી અથવા પયગંબરનો ઇન્કાર કરવો એ દીનની મૂળભૂત બાબતોની વિરુદ્ધ છે. અને એ કે અલ્લાહના દરેક પયગંબરોએ છેલ્લા નબી મુહમ્મદ ﷺ ના આવવાની ખબર આપી. જેમકે કેટલાક નબીઓ અને પયગંબરો જેમણે અલ્લાહ એ અલગ અલગ કોમો તરફ મોકલ્યા, તેમના નામો કુરઆન મજીદમાં વર્ણન કરવામાં આવ્યા છે ( જેમકે નૂહ, ઈબ્રાહીમ, ઇસ્માઈલ, ઇસ્હાક, યાકૂબ, યૂસુફ, મૂસા, દાવૂદ, સુલૈમાન, ઈસા વગેરે...), કેટલાક બીજા પણ છે ,જેમનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મમાં કેટલાક ધાર્મિક પ્રતીકો (જેમ કે રામ, કૃષ્ણ અને ગૌતમ બુદ્ધ) અલ્લાહ દ્વારા મોકલવામાં આવેલા પયગંબરો હોવાની સંભાવના એ એક વિચાર છે, જે બાકાત નથી, પરંતુ આ બાબતે પવિત્ર કુરઆનમાંથી કોઈ પુરાવા મળતા નથી, તેથી મુસલમાનો આ કારણથી માનતા નથી. અકીદામાં ફેરફારો (અર્થાત્ જૂથો જાહેર થવા) ત્યારે આવ્યા, જ્યારે લોકોએ પોતાના પયગંબરોને પવિત્ર કર્યા અને અલ્લાહને બદલે તેમની ઈબાદત કરવા લાગ્યા.

Source

કેટેગરીઓ

related_questions

સર્જકની એકતાની સાક્ષી આપવી અને એકરાર કરવો, અને ફક્ત તેની જ ઈબાદત કરવી, અને તે વાતનો એકરાર કરવી કે મુહમ્મદ ﷺ તેના બંદા અને પયગંબર છે.

પશ્ચિમી અનુભવ મધ્ય યુગમાં લોકોની ક્ષમતાઓ અને મન પર ચર્ચ અને રાજ્યના વર્ચસ્વ અને જોડાણની પ્રતિક્રિયા તરીકે આવ્યો હતો. ઇસ્લામિક પ્રણાલીની વ્યવહારિકતા અને તર્કને જોતાં ઇસ્લામિક વિશ્વને ક્યારેય આ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.

હોશિયાર વ્યક્તિ પાસેથી જીવન આપનારને તે જીવન લેવાનો આદેશ આપવો અને નિર્દોષ લોકોના જીવ દોષ વિના લેવાનો આદેશ આપવો તે અતાર્કિક છે, અને તે કહે છે: "અને પોતાને કતલ ન કરો" [૧૬૬], અને બીજી આયતો જે કતલ કરવા બાબતે રોકે છે જ્યાં સુધી કોઈ યોગ્ય કારણ ન હોઈ, જેમકે બદલો ...

બુદ્ધિની ભૂમિકા એ વસ્તુઓનો આદેશ આપવાનો અને તેની પુષ્ટિ કરવાનો છે, તેથી માનવ અસ્તિત્વના અંત સુધી પહોંચવામાં બુદ્ધિની અસમર્થતા, ઉદાહરણ તરીકે, તેની ભૂમિકાને રદ કરતી નથી, પરંતુ ધર્મ તેને કહેવાની તક આપે છે કે તે શું કરી શકતું નથી અને ક્યાં સુધી પહોંચી શકતો નથી. દીન તેને તેના સર્જક, તેના ...

સૃષ્ટિનો પાલનહાર કુરઆન મજીદની ઘણી આયતોમાં "અમે" શબ્દનો ઉપયોગ પોતાનો ઉલ્લેખ કરવા માટે કરે છે, ત્યારે તે સૂચવે છે કે તે એકલો જ સૌંદર્ય અને ભવ્યતાના તમામ લક્ષણોને એકઠો કરવા વાળો છે, આ શબ્દ અરબી ભાષામાં પણ તાકાત અને મહાનતા વ્યક્ત કરે છે, અને એવી જ રીતે, અંગ્રેજી ભાષામાં "અમે ...
સફળતાપૂર્વક મોકલ્યું