શું મુસલમાનોના અકીદામાં પાછળના પયગંબરો પર ઈમાન રાખવું જરૂરી છે?

શું મુસલમાનોના અકીદામાં પાછળના પયગંબરો પર ઈમાન રાખવું જરૂરી છે?

તે દરેક પયગંબરો પર કોઈ ફર્ક કર્યા વગર ઇમાન લાવવું, જેને અલ્લાહએ માનવીઓ તરફ મોકલ્યા, જે મુસલમાનોના અકીદાના પાયા માંથી એક પાયો છે, જેના વગર તેનું ઈમાન સહીહ નહીં ગણાય. અને એ કોઈ પણ નબી અથવા પયગંબરનો ઇન્કાર કરવો એ દીનની મૂળભૂત બાબતોની વિરુદ્ધ છે. અને એ કે અલ્લાહના દરેક પયગંબરોએ છેલ્લા નબી મુહમ્મદ ﷺ ના આવવાની ખબર આપી. જેમકે કેટલાક નબીઓ અને પયગંબરો જેમણે અલ્લાહ એ અલગ અલગ કોમો તરફ મોકલ્યા, તેમના નામો કુરઆન મજીદમાં વર્ણન કરવામાં આવ્યા છે ( જેમકે નૂહ, ઈબ્રાહીમ, ઇસ્માઈલ, ઇસ્હાક, યાકૂબ, યૂસુફ, મૂસા, દાવૂદ, સુલૈમાન, ઈસા વગેરે...), કેટલાક બીજા પણ છે ,જેમનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મમાં કેટલાક ધાર્મિક પ્રતીકો (જેમ કે રામ, કૃષ્ણ અને ગૌતમ બુદ્ધ) અલ્લાહ દ્વારા મોકલવામાં આવેલા પયગંબરો હોવાની સંભાવના એ એક વિચાર છે, જે બાકાત નથી, પરંતુ આ બાબતે પવિત્ર કુરઆનમાંથી કોઈ પુરાવા મળતા નથી, તેથી મુસલમાનો આ કારણથી માનતા નથી. અકીદામાં ફેરફારો (અર્થાત્ જૂથો જાહેર થવા) ત્યારે આવ્યા, જ્યારે લોકોએ પોતાના પયગંબરોને પવિત્ર કર્યા અને અલ્લાહને બદલે તેમની ઈબાદત કરવા લાગ્યા.

Source

કેટેગરીઓ

related_questions

તે પ્રાચીન સંસ્કૃતિના સાચા વિજ્ઞાનમાંનું એક હતું, જેમાં ઘણી દંતકથાઓ અને અંધશ્રદ્ધા સામેલ છે, નિર્જન રણમાં ઉછરેલો ઉમ્મી (અભણ) પયગંબર આ સંસ્કૃતિમાંથી દંતકથાઓ છોડી માત્ર સાચી વાતો નકલ કેવી રીતે કરી શકે?

જેહાદનો અર્થ છે, ગુનાહથી બચવા માટે પોતાની સામે લડવું. એક માતાનો જિહાદ, સગર્ભાવસ્થાની પીડા સહન કરીને તેની ગર્ભાવસ્થામાં માતાનો સંઘર્ષ, વિદ્યાર્થીએ પોતાના અભ્યાસમાં લગન, તેના પૈસા, સન્માન અને ધર્મના રક્ષકની સુરક્ષા માટે જિહાદ, રોઝા અને સમયસર નમાઝ જેવી ઇબાદતમાં પણ સતત રહેવું એ પણ એક પ્રકારનો જિહાદ ગણવામાં આવે છે.

માનવીના નિયમો પ્રમાણે આ જાણવામાં આવ્યું છે કે રાજા અથવા અધિકારીઓના આદેશોનું ઉલ્લંઘન અન્ય ગુનાહો સાથે સમાન ધોરણે નથી. તો, જે બધા રાજાઓનો રાજા છે તેના વિષે તમે શું વિચારો છો? તેના બંદાઓ પર અલ્લાહ સર્વશક્તિમાનનો હક તે છે તેઓ ફક્ત તેની જ ઈબાદત કરે જેમ કે નબી ﷺ એ ...

માંસ એ પ્રોટીનનો આવશ્યક સ્ત્રોત છે, અને માણસોના સપાટ અને પોઇંટેડ દાંત હોય છે, અને આ દાંત માંસને ચાવવા અને પીસવા માટે યોગ્ય છે. અને પાલનહારે માણસ માટે છોડ અને પ્રાણીઓ ખાવા માટે યોગ્ય દાંત બનાવ્યા છે, અને તેણે છોડ અને પ્રાણીઓના ખોરાકને પચાવવા માટે યોગ્ય પાચન તંત્ર બનાવ્યું છે, ...

આ બધું હોવા છતાં, એ જાણવું જોઈએ કે આ જીવનમાં માણસના વાસ્તવિક અધિકારો મર્યાદિત છે, અને અલ્લાહ સર્વશક્તિમાન આપણને ફક્ત તે માટે જ જવાબદાર ઠેરવશે જે આપણને પસંદ કરવાની સ્વતંત્રતા આપી છે. ઉદાહરણ તરીકે, આપણે જે સંજોગો અને વાતાવરણમાં રહીએ છીએ તે આપણે પસંદ નથી કર્યું, કે આપણે આપણે માતા-પિતાને ...
સફળતાપૂર્વક મોકલ્યું