કુરઆન શું છે?

કુરઆન શું છે?

કુરઆન એ સૃષ્ટિના ઇલાહ દ્વારા મોકલવામાં આવેલ અંતિમ પુસ્તક છે. જો કે મુસલમાન દરેક કિતાબ પર ઈમાન ધરાવે છે, જે કુરઆન પહેલા ઉતારવામાં આવી જેવા કે (ઇબ્રાહિમનાં સહિફા, ઝબૂર, તૌરાત અને ઇન્જિલ... વગેરે), મુસ્લિમો માને છે કે તમામ પુસ્તકો દ્વારા આપવામાં આવેલો સાચો સંદેશ તોહીદ છે, એટલે કે અલ્લાહ પર ઈમાન ધરાવવું અને તેની જ ઈબાદત કરવી. જો કે કુરઆન, અગાઉના આકાશીય પુસ્તકોથી વિપરીત, ફક્ત ચોક્કસ શ્રેણી અથવા જૂથ માટે મોકલવામાં આવ્યુ ન હતું, અને તેના વિવિધ સંસ્કરણો નથી, અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેના બદલે, તે બધા મુસ્લિમો માટે એક પુસ્તક છે. અને કુરઆનનું લખાણ હજી પણ તેની મૂળ ભાષા (અરબી)માં છે, કોઈપણ ફેરફાર, વિકૃતિ અથવા હેરફેર વિના, અને તે હજી પણ આપણા સમય સુધી સાચવેલ છે, અને તે એવું જ રહેશે, સૃષ્ટિના પાલાન્હારે તેને સાચવવાનું વચન આપ્યું છે. તે બધા મુસલમાનોના હાથમાં પ્રસારિત થાય છે, અને ઘણા મુસલમાનોએ કુરઆન મજીદને મોઢે યાદ પણ કર્યું છે, અને કુરઆનના વર્તમાન અનુવાદો ઘણી ભાષાઓમાં અને લોકોના હાથમાં છે, તે કુરઆનના અર્થ અને અનુવાદ સિવાય બીજું કંઈ નથી. સૃષ્ટિના પાલનહારે અરબો અને બિન અરબોને આ પ્રમાણે કુરઆન લાવવા માટે ચેલેન્જ કર્યું છે, તે જાણીને કે તે સમયે અરબો વકતૃત્વ, અને કવિતામાં અન્ય લોકો પર સરદાર હતા, પરંતુ તેઓ જાણતા હતા કે આ કુરઆન અલ્લાહ સિવાય કોઈનું કલામ નથી, આ ચેલેન્જ ચૌદ સદીઓથી કરતા પણ વધુ સમયથી હ્યું છે અને કોઈ પણ આમ કરી શક્યું નથી, અને આ સૌથી મોટો પુરાવો છે કે કુરઆન અલ્લાહ તરફથી છે.

Source

કેટેગરીઓ

related_questions

જો કુરઆન યહૂદીઓમાંથી હોત, તો તેઓ તેને પોતાને માટે જવાબદાર ઠેરવવામાં સૌથી ઝડપી હોત, શું કુરઆનને ઉતારવાના સમયે યહૂદીઓએ એવો દાવો કર્યો હતો?

ખાવા-પીવાની જરૂરિયાત કરતાં પણ વધુ દીન જરૂરી છે. માણસ સ્વભાવે ધાર્મિક (ધર્મના આદેશો પર અમલ કરનાર) છે, તેથી જો તેને સાચા દીનનું માર્ગદર્શન આપવામાં નહીં આવે, તો તે પોતાના માટે એક ધર્મની શોધ કરશે, જે લોકો દ્વારા શોધાયેલો હશે, જેવું કે મૂર્તિપૂજક ધર્મોમાં થયું છે. માનવીને આ દુનિયામાં શાંતિની એવી ...

આ જીવનમાં દુષ્ટતા શા માટે છે તે આશ્ચર્ય પામનાર, તેને પાલનહારના અસ્તિત્વને નકારવા માટેના બહાના તરીકે લે છે તે ફક્ત તેની ટૂંકી દૃષ્ટિ અને આ પાછળન શાણપણને સમજવામાં તેની નાજુક વિચારસરણી દર્શાવે છે, અને અંતર્ગત મુદ્દાઓ વિશે તેની જાગૃતિનો અભાવ દર્શાવે છે. એવો પ્રશ્ન કરીને, નાસ્તિક સ્પષ્ટપણે સ્વીકારે છે કે ...

શું ખ્રિસ્તી માનતો નથી કે મુસ્લિમ એક નાસ્તિક છે - ઉદાહરણ તરીકે - કારણ કે તે તષલીષના સિદ્ધાંતમાં માનતો નથી, જેમાં તે વિશ્વાસ કર્યા સિવાય રાજ્યમાં પ્રવેશ કરશે નહીં? કાફિર શબ્દનો અર્થ છે સત્યને નકારવું, અને મુસ્લિમ માટે સત્ય તોહિદ છે, અને ખ્રિસ્તી માટે તે તષલીષ છે.

ઈમામ શબદનો અર્થ જે લોકોને નમાઝ પઢાવતો હોઈ, અથવા તેમની બાબતો અને મઆમલામાં દેખરેખ અથવા આગેવાની કરતો હોય, આ કોઈ ધાર્મિક પદ નથી, જે ફક્ત ચોક્કસ લોકો સુધી સીમિત હોઈ, અને ઇસ્લામમાં કોઈ જૂથ કે જ્ઞાતિવાદ નથી, પરંતુ દીન દરેક માટે છે, લોકો અલ્લાહ સમક્ષ કાંસકીના દાંતરડા જેવા છે, એટલા ...
સફળતાપૂર્વક મોકલ્યું