કુરઆન શું છે?

કુરઆન શું છે?

કુરઆન એ સૃષ્ટિના ઇલાહ દ્વારા મોકલવામાં આવેલ અંતિમ પુસ્તક છે. જો કે મુસલમાન દરેક કિતાબ પર ઈમાન ધરાવે છે, જે કુરઆન પહેલા ઉતારવામાં આવી જેવા કે (ઇબ્રાહિમનાં સહિફા, ઝબૂર, તૌરાત અને ઇન્જિલ... વગેરે), મુસ્લિમો માને છે કે તમામ પુસ્તકો દ્વારા આપવામાં આવેલો સાચો સંદેશ તોહીદ છે, એટલે કે અલ્લાહ પર ઈમાન ધરાવવું અને તેની જ ઈબાદત કરવી. જો કે કુરઆન, અગાઉના આકાશીય પુસ્તકોથી વિપરીત, ફક્ત ચોક્કસ શ્રેણી અથવા જૂથ માટે મોકલવામાં આવ્યુ ન હતું, અને તેના વિવિધ સંસ્કરણો નથી, અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેના બદલે, તે બધા મુસ્લિમો માટે એક પુસ્તક છે. અને કુરઆનનું લખાણ હજી પણ તેની મૂળ ભાષા (અરબી)માં છે, કોઈપણ ફેરફાર, વિકૃતિ અથવા હેરફેર વિના, અને તે હજી પણ આપણા સમય સુધી સાચવેલ છે, અને તે એવું જ રહેશે, સૃષ્ટિના પાલાન્હારે તેને સાચવવાનું વચન આપ્યું છે. તે બધા મુસલમાનોના હાથમાં પ્રસારિત થાય છે, અને ઘણા મુસલમાનોએ કુરઆન મજીદને મોઢે યાદ પણ કર્યું છે, અને કુરઆનના વર્તમાન અનુવાદો ઘણી ભાષાઓમાં અને લોકોના હાથમાં છે, તે કુરઆનના અર્થ અને અનુવાદ સિવાય બીજું કંઈ નથી. સૃષ્ટિના પાલનહારે અરબો અને બિન અરબોને આ પ્રમાણે કુરઆન લાવવા માટે ચેલેન્જ કર્યું છે, તે જાણીને કે તે સમયે અરબો વકતૃત્વ, અને કવિતામાં અન્ય લોકો પર સરદાર હતા, પરંતુ તેઓ જાણતા હતા કે આ કુરઆન અલ્લાહ સિવાય કોઈનું કલામ નથી, આ ચેલેન્જ ચૌદ સદીઓથી કરતા પણ વધુ સમયથી હ્યું છે અને કોઈ પણ આમ કરી શક્યું નથી, અને આ સૌથી મોટો પુરાવો છે કે કુરઆન અલ્લાહ તરફથી છે.

Source

કેટેગરીઓ

related_questions

કુરઆનમાં ઘણી આયતો છે જેમાં અલ્લાહની દયા અને તેના બંદાઓ માટે તેની મોહબ્બતનો ઉલ્લેખ કરવામાં આવ્યી છે, જો કે, અલ્લાહ સર્વશક્તિમાનની તેના બંદાઓ સાથે મોહબ્બત બંદાઓની એકબીજા સાથે જે મોહબ્બત હોઈ છે તેના કરતા અલગ છે, કારણકે મોહબ્બત માનવીના ધોરણ અનુસાર એવી જરૂરત છે જે એક મોહબ્બત કરવાવાળાને જેની સાથે ...

વિજ્ઞાન સામાન્ય મૂળના ઉત્ક્રાંતિની વિભાવના માટે ખાતરીપૂર્વક પુરાવા આપે છે, જેનો પવિત્ર કુરઆનમાં ઉલ્લેખ છે.

ઈમાન એ બંદા અને તેના પાલનહાર વચ્ચેનો સંબંધ છે, જ્યારે તે તેને તોડવા માંગે છે, ત્યારે તેનો પાલનહાર તેને આદેશ આપે છે. પરંતુ જ્યારે તે તેને ખુલ્લેઆમ જાહેર કરવા માંગે છે અને તેને ઇસ્લામ સાથે લડવા અને તેની છબીને બગાડવા અને તેની સાથે વિશ્વાસઘાત કરવાના બહાના શોધે છે, તો પછી ...

હોશિયાર વ્યક્તિ પાસેથી જીવન આપનારને તે જીવન લેવાનો આદેશ આપવો અને નિર્દોષ લોકોના જીવ દોષ વિના લેવાનો આદેશ આપવો તે અતાર્કિક છે, અને તે કહે છે: "અને પોતાને કતલ ન કરો" [૧૬૬], અને બીજી આયતો જે કતલ કરવા બાબતે રોકે છે જ્યાં સુધી કોઈ યોગ્ય કારણ ન હોઈ, જેમકે બદલો ...

એક મુસલામન પતિ પોતાની ઈસાઈ અથવા યહૂદી પત્નીના મૂળ ધર્મ, તેની કિતાબ અને તેના પયગંબરનો આદર કરે છે, અને તે વગર તેનું ઈમાન સંપૂણ ગણવામાં નથી આવતું, અને તે પોતાની પત્નીને તેના મૂળ ધર્મના રીવાજોનું પાલન કરવાની સંપૂણ સ્વતંત્રતા આપે છે, તેનાથી વિરુદ્ધ, જોકે સાચું નથી, જો કોઈ ઈસાઈ અથવા ...
સફળતાપૂર્વક મોકલ્યું