કુરઆન શું છે?

કુરઆન શું છે?

કુરઆન એ સૃષ્ટિના ઇલાહ દ્વારા મોકલવામાં આવેલ અંતિમ પુસ્તક છે. જો કે મુસલમાન દરેક કિતાબ પર ઈમાન ધરાવે છે, જે કુરઆન પહેલા ઉતારવામાં આવી જેવા કે (ઇબ્રાહિમનાં સહિફા, ઝબૂર, તૌરાત અને ઇન્જિલ... વગેરે), મુસ્લિમો માને છે કે તમામ પુસ્તકો દ્વારા આપવામાં આવેલો સાચો સંદેશ તોહીદ છે, એટલે કે અલ્લાહ પર ઈમાન ધરાવવું અને તેની જ ઈબાદત કરવી. જો કે કુરઆન, અગાઉના આકાશીય પુસ્તકોથી વિપરીત, ફક્ત ચોક્કસ શ્રેણી અથવા જૂથ માટે મોકલવામાં આવ્યુ ન હતું, અને તેના વિવિધ સંસ્કરણો નથી, અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેના બદલે, તે બધા મુસ્લિમો માટે એક પુસ્તક છે. અને કુરઆનનું લખાણ હજી પણ તેની મૂળ ભાષા (અરબી)માં છે, કોઈપણ ફેરફાર, વિકૃતિ અથવા હેરફેર વિના, અને તે હજી પણ આપણા સમય સુધી સાચવેલ છે, અને તે એવું જ રહેશે, સૃષ્ટિના પાલાન્હારે તેને સાચવવાનું વચન આપ્યું છે. તે બધા મુસલમાનોના હાથમાં પ્રસારિત થાય છે, અને ઘણા મુસલમાનોએ કુરઆન મજીદને મોઢે યાદ પણ કર્યું છે, અને કુરઆનના વર્તમાન અનુવાદો ઘણી ભાષાઓમાં અને લોકોના હાથમાં છે, તે કુરઆનના અર્થ અને અનુવાદ સિવાય બીજું કંઈ નથી. સૃષ્ટિના પાલનહારે અરબો અને બિન અરબોને આ પ્રમાણે કુરઆન લાવવા માટે ચેલેન્જ કર્યું છે, તે જાણીને કે તે સમયે અરબો વકતૃત્વ, અને કવિતામાં અન્ય લોકો પર સરદાર હતા, પરંતુ તેઓ જાણતા હતા કે આ કુરઆન અલ્લાહ સિવાય કોઈનું કલામ નથી, આ ચેલેન્જ ચૌદ સદીઓથી કરતા પણ વધુ સમયથી હ્યું છે અને કોઈ પણ આમ કરી શક્યું નથી, અને આ સૌથી મોટો પુરાવો છે કે કુરઆન અલ્લાહ તરફથી છે.

Source

કેટેગરીઓ

related_questions

ઉગ્રવાદ, કટ્ટરતા અને સખ્તી એ એવા ગુણો સિવાય બીજું કંઈ નથી જે મૂળભૂત રીતે સાચા ધર્મ દ્વારા પ્રતિબંધિત છે. પવિત્ર કુરઆને ઘણી આયતોમાં વ્યવહારમાં દયા અને નમ્રતા અપનાવવા અને ક્ષમા અને સહનશીલતાના સિદ્ધાંતને અપનાવવાનો આદેશ આપ્યો છે.

જ્યારે કોઈ વ્યક્તિ, ઉદાહરણ તરીકે, સ્ટોરમાંથી કંઈક ખરીદવા માંગે છે, અને આ વસ્તુ ખરીદવા માટે પ્રથમ પુત્રને મોકલવાનું નક્કી કરે છે, કારણ કે તે અગાઉથી જાણે છે કે આ છોકરો સમજદાર છે, અને તે સીધા જ પિતાને જે જોઈએ છે તે ખરીદવા જશે, પિતાને ખબર છે કે બીજો છોકરો તેના ...

જ્યારે પણ તેઓ મુસાફરી કરે છે અથવા કામ પર જાય છે ત્યારે માતા તેમના બાળકોને તેમની દરેક સફરમાં સાવચેત રહેવા માટે તેમની અસંખ્ય ચેતવણીઓથી થાકી જાય છે. શું તેણીને ક્રૂર માતા ગણવામાં આવે છે? દયા ક્રૂરતાને ધ્યાનમાં લેવા માટે આ એક સ્પષ્ટ ગેરસમજ છે. અલ્લાહ તેના બંદાઓને ચેતવણી આપે છે ...

નબી (સંદેશવાહક) તે છે, જેની તરફ વહી કરવામાં આવી હોઈ, અને તેને કોઈ નવો સંદેશ અથવા કોઈ નવો તરીકો આપ્યો ન હોઈ, અને પયગંબર તે છે, જેને અલ્લાહ એ એક તરીકો અને શરિઅત (કાનૂન) સાથે મોકલ્યો હોઈ, જે તેની કોમ પ્રમાણે હોઈ, ઉદાહરણ તરીકે (તૌરાત જે પયગંબર મૂસા તરફ ઉતારવામાં ...

હજ દરમિયાન ભીડને કારણે મૃત્યુ થવું એ થોડા વર્ષો સિવાય જોવા મળ્યું નથી, અને તે સામાન્ય છે કે ભીડને કારણે મૃત્યુ પામેલા લોકો ખૂબ ઓછા છે. જો કે, દારુ પીવાને કારણે મૃત્યુ પામેલા લોકો, દાખલા તરીકે, દર વર્ષે લાખોની સંખ્યામાં મૃત્યુ પામે છે, અને ફૂટબોલ મેદાનો અને દક્ષિણ અમેરિકાના કાર્નિવલ્સની ...
સફળતાપૂર્વક મોકલ્યું