કુરઆન શું છે?

કુરઆન શું છે?

કુરઆન એ સૃષ્ટિના ઇલાહ દ્વારા મોકલવામાં આવેલ અંતિમ પુસ્તક છે. જો કે મુસલમાન દરેક કિતાબ પર ઈમાન ધરાવે છે, જે કુરઆન પહેલા ઉતારવામાં આવી જેવા કે (ઇબ્રાહિમનાં સહિફા, ઝબૂર, તૌરાત અને ઇન્જિલ... વગેરે), મુસ્લિમો માને છે કે તમામ પુસ્તકો દ્વારા આપવામાં આવેલો સાચો સંદેશ તોહીદ છે, એટલે કે અલ્લાહ પર ઈમાન ધરાવવું અને તેની જ ઈબાદત કરવી. જો કે કુરઆન, અગાઉના આકાશીય પુસ્તકોથી વિપરીત, ફક્ત ચોક્કસ શ્રેણી અથવા જૂથ માટે મોકલવામાં આવ્યુ ન હતું, અને તેના વિવિધ સંસ્કરણો નથી, અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેના બદલે, તે બધા મુસ્લિમો માટે એક પુસ્તક છે. અને કુરઆનનું લખાણ હજી પણ તેની મૂળ ભાષા (અરબી)માં છે, કોઈપણ ફેરફાર, વિકૃતિ અથવા હેરફેર વિના, અને તે હજી પણ આપણા સમય સુધી સાચવેલ છે, અને તે એવું જ રહેશે, સૃષ્ટિના પાલાન્હારે તેને સાચવવાનું વચન આપ્યું છે. તે બધા મુસલમાનોના હાથમાં પ્રસારિત થાય છે, અને ઘણા મુસલમાનોએ કુરઆન મજીદને મોઢે યાદ પણ કર્યું છે, અને કુરઆનના વર્તમાન અનુવાદો ઘણી ભાષાઓમાં અને લોકોના હાથમાં છે, તે કુરઆનના અર્થ અને અનુવાદ સિવાય બીજું કંઈ નથી. સૃષ્ટિના પાલનહારે અરબો અને બિન અરબોને આ પ્રમાણે કુરઆન લાવવા માટે ચેલેન્જ કર્યું છે, તે જાણીને કે તે સમયે અરબો વકતૃત્વ, અને કવિતામાં અન્ય લોકો પર સરદાર હતા, પરંતુ તેઓ જાણતા હતા કે આ કુરઆન અલ્લાહ સિવાય કોઈનું કલામ નથી, આ ચેલેન્જ ચૌદ સદીઓથી કરતા પણ વધુ સમયથી હ્યું છે અને કોઈ પણ આમ કરી શક્યું નથી, અને આ સૌથી મોટો પુરાવો છે કે કુરઆન અલ્લાહ તરફથી છે.

Source

કેટેગરીઓ

related_questions

સાચો ધર્મ જે સર્જનહાર તરફથી આવ્યો છે તે એક જ ધર્મ છે અને તેનાથી વધુ નહીં, અને તે એક અને એકમાત્ર સર્જકના અકીદાનો સ્વીકારે છે અને તેની જ ઈબાદત કરવાનો આદેશ આપે છે. આપણા માટે ભારત દેશની મુલાકાત લેવી પૂરતું છે, ઉદાહરણ તરીકે, લોકો વચ્ચે કહેવું: સર્જક અને ઇલાહ એક ...

હજ દરમિયાન ભીડને કારણે મૃત્યુ થવું એ થોડા વર્ષો સિવાય જોવા મળ્યું નથી, અને તે સામાન્ય છે કે ભીડને કારણે મૃત્યુ પામેલા લોકો ખૂબ ઓછા છે. જો કે, દારુ પીવાને કારણે મૃત્યુ પામેલા લોકો, દાખલા તરીકે, દર વર્ષે લાખોની સંખ્યામાં મૃત્યુ પામે છે, અને ફૂટબોલ મેદાનો અને દક્ષિણ અમેરિકાના કાર્નિવલ્સની ...

હકીકતમાં, અલ્લાહ ઇચ્છે છે કે તેના બધા બંદાઓ તેના પર ઈમાન ધરાવે.

આ બધું હોવા છતાં, એ જાણવું જોઈએ કે આ જીવનમાં માણસના વાસ્તવિક અધિકારો મર્યાદિત છે, અને અલ્લાહ સર્વશક્તિમાન આપણને ફક્ત તે માટે જ જવાબદાર ઠેરવશે જે આપણને પસંદ કરવાની સ્વતંત્રતા આપી છે. ઉદાહરણ તરીકે, આપણે જે સંજોગો અને વાતાવરણમાં રહીએ છીએ તે આપણે પસંદ નથી કર્યું, કે આપણે આપણે માતા-પિતાને ...

આપણા સમયમાં ઘણા લોકો માનતા હતા કે પ્રકાશ સમયની બહાર છે, અને તે સ્વીકાર્યું ન હતું કે સર્જક સમય અને અવકાશના કાયદાને આધીન નથી. એ અર્થમાં કે સર્જક સર્વશક્તિમાન દરેક વસ્તુની પહેલા છે, અને દરેક વસ્તુ પછી છે, અને તે સર્જક સર્વશક્તિમાન પોતાના સર્જનીઓથી ઘેરાયેલા નથી.
સફળતાપૂર્વક મોકલ્યું