કુરઆન શું છે?

કુરઆન શું છે?

العربية English español Русский 中文

કુરઆન એ સૃષ્ટિના ઇલાહ દ્વારા મોકલવામાં આવેલ અંતિમ પુસ્તક છે. જો કે મુસલમાન દરેક કિતાબ પર ઈમાન ધરાવે છે, જે કુરઆન પહેલા ઉતારવામાં આવી જેવા કે (ઇબ્રાહિમનાં સહિફા, ઝબૂર, તૌરાત અને ઇન્જિલ... વગેરે), મુસ્લિમો માને છે કે તમામ પુસ્તકો દ્વારા આપવામાં આવેલો સાચો સંદેશ તોહીદ છે, એટલે કે અલ્લાહ પર ઈમાન ધરાવવું અને તેની જ ઈબાદત કરવી. જો કે કુરઆન, અગાઉના આકાશીય પુસ્તકોથી વિપરીત, ફક્ત ચોક્કસ શ્રેણી અથવા જૂથ માટે મોકલવામાં આવ્યુ ન હતું, અને તેના વિવિધ સંસ્કરણો નથી, અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેના બદલે, તે બધા મુસ્લિમો માટે એક પુસ્તક છે. અને કુરઆનનું લખાણ હજી પણ તેની મૂળ ભાષા (અરબી)માં છે, કોઈપણ ફેરફાર, વિકૃતિ અથવા હેરફેર વિના, અને તે હજી પણ આપણા સમય સુધી સાચવેલ છે, અને તે એવું જ રહેશે, સૃષ્ટિના પાલાન્હારે તેને સાચવવાનું વચન આપ્યું છે. તે બધા મુસલમાનોના હાથમાં પ્રસારિત થાય છે, અને ઘણા મુસલમાનોએ કુરઆન મજીદને મોઢે યાદ પણ કર્યું છે, અને કુરઆનના વર્તમાન અનુવાદો ઘણી ભાષાઓમાં અને લોકોના હાથમાં છે, તે કુરઆનના અર્થ અને અનુવાદ સિવાય બીજું કંઈ નથી. સૃષ્ટિના પાલનહારે અરબો અને બિન અરબોને આ પ્રમાણે કુરઆન લાવવા માટે ચેલેન્જ કર્યું છે, તે જાણીને કે તે સમયે અરબો વકતૃત્વ, અને કવિતામાં અન્ય લોકો પર સરદાર હતા, પરંતુ તેઓ જાણતા હતા કે આ કુરઆન અલ્લાહ સિવાય કોઈનું કલામ નથી, આ ચેલેન્જ ચૌદ સદીઓથી કરતા પણ વધુ સમયથી હ્યું છે અને કોઈ પણ આમ કરી શક્યું નથી, અને આ સૌથી મોટો પુરાવો છે કે કુરઆન અલ્લાહ તરફથી છે.

Source

કેટેગરીઓ

Related Questions

ઇમાનના અરકાન નીચે પ્રમાણે છે:

તે અલ્લાહની રહમત અને તેની સર્જન પ્રત્યેની દયાથી છે કે પાલનહારે અમને સારી વસ્તુઓ ખાવાની મંજૂરી આપી, અને અશુદ્ધ વસ્તુઓ ખાવાની મનાઈ કરી.

માનવ ટેક્નોલોજીએ એક જ ક્ષણે વિશ્વના તમામ ભાગોમાં માનવ અવાજો અને છબીઓ પહોંચાડી છે, તો શું ૧૪૦૦ વર્ષ પહેલાં માનવજાતના સર્જક તેમના પયગંબર સાથે આત્મા અને શરીર આકાશ પર જઈ શકે છે[૧૫૧]? પયગંબર "અલ-બુરાક" નામના પ્રાણીની પીઠ પર ચડ્યા. અલ-બુરાક: એક સફેદ પ્રાણી, ગધેડા કરતાં ઊંચું અને ખચ્ચર કરતાં નાનું, ...

ઇસ્લામે અન્ય ધર્મોથી વિપરીત, આદમના પાપ માટે તેણીને નિર્દોષ ગણીને અને તેણીને ઉચ્ચ સન્માનમાં રાખીને સ્ત્રીનું સન્માન કર્યું છે.

અલ્લાહ તઆલા એ માણસને અન્ય તમામ જીવોથી તર્ક દ્વારા અલગ પાડ્યો છે, અને અલ્લાહ એ તે દરેક વસ્તુઓ જે આપણને કંઈ પણ નુકસાન પહોંચાડે છે અને આપણા દિમાગ અને શરીરને નુકસાન પહોંચાડે છે તેના પર પ્રતિબંધિત લગાવ્યો છે, અને તેથી નશો કરનારી દરેક વસ્તુ આપણા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે, ...
સફળતાપૂર્વક મોકલ્યું