કુરઆન શું છે?

કુરઆન શું છે?

કુરઆન એ સૃષ્ટિના ઇલાહ દ્વારા મોકલવામાં આવેલ અંતિમ પુસ્તક છે. જો કે મુસલમાન દરેક કિતાબ પર ઈમાન ધરાવે છે, જે કુરઆન પહેલા ઉતારવામાં આવી જેવા કે (ઇબ્રાહિમનાં સહિફા, ઝબૂર, તૌરાત અને ઇન્જિલ... વગેરે), મુસ્લિમો માને છે કે તમામ પુસ્તકો દ્વારા આપવામાં આવેલો સાચો સંદેશ તોહીદ છે, એટલે કે અલ્લાહ પર ઈમાન ધરાવવું અને તેની જ ઈબાદત કરવી. જો કે કુરઆન, અગાઉના આકાશીય પુસ્તકોથી વિપરીત, ફક્ત ચોક્કસ શ્રેણી અથવા જૂથ માટે મોકલવામાં આવ્યુ ન હતું, અને તેના વિવિધ સંસ્કરણો નથી, અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેના બદલે, તે બધા મુસ્લિમો માટે એક પુસ્તક છે. અને કુરઆનનું લખાણ હજી પણ તેની મૂળ ભાષા (અરબી)માં છે, કોઈપણ ફેરફાર, વિકૃતિ અથવા હેરફેર વિના, અને તે હજી પણ આપણા સમય સુધી સાચવેલ છે, અને તે એવું જ રહેશે, સૃષ્ટિના પાલાન્હારે તેને સાચવવાનું વચન આપ્યું છે. તે બધા મુસલમાનોના હાથમાં પ્રસારિત થાય છે, અને ઘણા મુસલમાનોએ કુરઆન મજીદને મોઢે યાદ પણ કર્યું છે, અને કુરઆનના વર્તમાન અનુવાદો ઘણી ભાષાઓમાં અને લોકોના હાથમાં છે, તે કુરઆનના અર્થ અને અનુવાદ સિવાય બીજું કંઈ નથી. સૃષ્ટિના પાલનહારે અરબો અને બિન અરબોને આ પ્રમાણે કુરઆન લાવવા માટે ચેલેન્જ કર્યું છે, તે જાણીને કે તે સમયે અરબો વકતૃત્વ, અને કવિતામાં અન્ય લોકો પર સરદાર હતા, પરંતુ તેઓ જાણતા હતા કે આ કુરઆન અલ્લાહ સિવાય કોઈનું કલામ નથી, આ ચેલેન્જ ચૌદ સદીઓથી કરતા પણ વધુ સમયથી હ્યું છે અને કોઈ પણ આમ કરી શક્યું નથી, અને આ સૌથી મોટો પુરાવો છે કે કુરઆન અલ્લાહ તરફથી છે.

Source

કેટેગરીઓ

related_questions

સંપૂણ ઈતિહાસમાં મક્કાહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, લોકો દર વર્ષે દુનિયાના ખુણે ખૂણેથી પણ આવી તેની મુલાકાત લે છે, અને અરબના સંપૂણ લોકો તેની પવિત્રતાનું ધ્યાન રાખે છે, જુના કરારમાં પણ આના વિષે ભવિષ્યવાળી કરવામાં આવી હતી, "બક્કાહની ખીણ માંથી પસાર થઇ તેને ઝરણું બનાવતા હતા" [૩૦૦].

ફરિશ્તાઓ: તે અલ્લાહનું એક સર્જન છે, પરંતુ તે એક મહાન સર્જન છે, તેમને નૂર વડે પેદા કરવામાં આવ્યા છે, તેઓને સત્કાર્યો કરવા માટે પેદા કરવામાં આવ્યા છે, તેઓ થાક્યા વગર પવિત્ર અલ્લાહની તસ્બીહ (પવિત્રતા) વર્ણન કરે છે અને ઈબાદત કરે છે.

દુનિયામાં ઘણી ભાષાઓ અને લહેજાઓ (વાત કરવાનો તરીકો) છે, જો તેમાંથી કોઈ એક પણ ભાષામાં ઉતારવામાં આવતું તો લોકો હેરાન થઈ જતાં. ખરેખર અલ્લાહ પયગંબરોને તેમની કોમની ભાષામાં જ મોકલે છે, અને અલ્લાહ તઆલાએ મુહમ્મદ ﷺ ને છેલ્લા પયગંબર બનાવીને મોકલ્યા, અને કુરઆનની ભાષા પણ તેમની કોમની છે, અને કુરઆનને ...

અલ્લાહ તઆલા એ માણસને અન્ય તમામ જીવોથી તર્ક દ્વારા અલગ પાડ્યો છે, અને અલ્લાહ એ તે દરેક વસ્તુઓ જે આપણને કંઈ પણ નુકસાન પહોંચાડે છે અને આપણા દિમાગ અને શરીરને નુકસાન પહોંચાડે છે તેના પર પ્રતિબંધિત લગાવ્યો છે, અને તેથી નશો કરનારી દરેક વસ્તુ આપણા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે, ...

હકીકતમાં, માથું ખોલવું એ સંપૂર્ણ પછાતપણું છે, શું આદમના સમયથી આગળ પણ કોઈ પછાતપણું છે; જ્યારથી અલ્લાહ એ આદમ અને તેની પત્નીને પેદા કર્યા અને તેમણે જન્નતમાં રહેવા માટે મોકલ્યા ત્યારથી તેમને કપડાં પહેરવા અને પરદો કરવા માટે જવાબદાર બનાવ્યા હતા.
સફળતાપૂર્વક મોકલ્યું