કુરઆન એ સૃષ્ટિના ઇલાહ દ્વારા મોકલવામાં આવેલ અંતિમ પુસ્તક છે. જો કે મુસલમાન દરેક કિતાબ પર ઈમાન ધરાવે છે, જે કુરઆન પહેલા ઉતારવામાં આવી જેવા કે (ઇબ્રાહિમનાં સહિફા, ઝબૂર, તૌરાત અને ઇન્જિલ... વગેરે), મુસ્લિમો માને છે કે તમામ પુસ્તકો દ્વારા આપવામાં આવેલો સાચો સંદેશ તોહીદ છે, એટલે કે અલ્લાહ પર ઈમાન ધરાવવું અને તેની જ ઈબાદત કરવી. જો કે કુરઆન, અગાઉના આકાશીય પુસ્તકોથી વિપરીત, ફક્ત ચોક્કસ શ્રેણી અથવા જૂથ માટે મોકલવામાં આવ્યુ ન હતું, અને તેના વિવિધ સંસ્કરણો નથી, અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેના બદલે, તે બધા મુસ્લિમો માટે એક પુસ્તક છે. અને કુરઆનનું લખાણ હજી પણ તેની મૂળ ભાષા (અરબી)માં છે, કોઈપણ ફેરફાર, વિકૃતિ અથવા હેરફેર વિના, અને તે હજી પણ આપણા સમય સુધી સાચવેલ છે, અને તે એવું જ રહેશે, સૃષ્ટિના પાલાન્હારે તેને સાચવવાનું વચન આપ્યું છે. તે બધા મુસલમાનોના હાથમાં પ્રસારિત થાય છે, અને ઘણા મુસલમાનોએ કુરઆન મજીદને મોઢે યાદ પણ કર્યું છે, અને કુરઆનના વર્તમાન અનુવાદો ઘણી ભાષાઓમાં અને લોકોના હાથમાં છે, તે કુરઆનના અર્થ અને અનુવાદ સિવાય બીજું કંઈ નથી. સૃષ્ટિના પાલનહારે અરબો અને બિન અરબોને આ પ્રમાણે કુરઆન લાવવા માટે ચેલેન્જ કર્યું છે, તે જાણીને કે તે સમયે અરબો વકતૃત્વ, અને કવિતામાં અન્ય લોકો પર સરદાર હતા, પરંતુ તેઓ જાણતા હતા કે આ કુરઆન અલ્લાહ સિવાય કોઈનું કલામ નથી, આ ચેલેન્જ ચૌદ સદીઓથી કરતા પણ વધુ સમયથી હ્યું છે અને કોઈ પણ આમ કરી શક્યું નથી, અને આ સૌથી મોટો પુરાવો છે કે કુરઆન અલ્લાહ તરફથી છે.
સૃષ્ટિનો પાલનહાર કુરઆન મજીદની ઘણી આયતોમાં "અમે" શબ્દનો ઉપયોગ પોતાનો ઉલ્લેખ કરવા માટે કરે છે, ત્યારે તે સૂચવે છે કે તે એકલો જ સૌંદર્ય અને ભવ્યતાના તમામ લક્ષણોને એકઠો કરવા વાળો છે, આ શબ્દ અરબી ભાષામાં પણ તાકાત અને મહાનતા વ્યક્ત કરે છે, અને એવી જ રીતે, અંગ્રેજી ભાષામાં "અમે ...
પુરૂષો અને સ્ત્રીઓ વચ્ચેની શારીરિક રચનાના તફાવત પર વિશ્વ સર્વસંમતિથી (ઈજમાઅ) સંમત થયું છે, જે હકીકત દ્વારા પુરાવા મળે છે કે પુરુષોના સ્વિમિંગ (તરવાના) કપડાં પશ્ચિમમાં સ્ત્રીઓના કપડાં કરતાં અલગ છે. ફિતનાથી બચવા માટે સ્ત્રી પોતાના શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે છે, પરંતુ શું ક્યારેય કોઈએ સાંભળ્યું છે કે કોઈ સ્ત્રીએ ...
માનવી પાસે માનવીને જ મોકલવા વધુ યોગ્ય હતું કારણ કે તેમની ભાષામાં વાત કરતો અને તેમના માટે એક આદર્શ તરીકે હોતો, અને જો અલ્લાહ તેમના માટે એક ફરિશ્તાને પયગંબર બનાવીને મોકલતો તો તે તે કાર્યો કરતો જે તેમના માટે અશક્ય હોત, અને તેઓ દલીલ આપતા કે આ ફરિશ્તો છે અને ...
ઇસ્લામ ધર્મ, તેના ઉપદેશો જીવનની દરેક બાબતોમાં લવચીક અને વ્યાપક છે, કારણ કે તે માનવ ફિતરત (વૃત્તિ) સાથે સંબંધિત છે, જેના આધારે પાલનહારે માણસને બનાવ્યો છે, અને આ ધર્મ આ વૃત્તિના નિયમો અનુસાર આવ્યો છે. જેવુ કે:
મુહમ્મદ ﷺ ન તો શિઆ હતા ન તો સુન્ની, તેઓ તો સાચા મુસલમાન હતા, અને મસીહ ન તો કેથોલિક હતા ન તો બીજા કોઈ, તેઓ કોઈ પણ મધ્યસ્થ વગર ફક્ત એક અલ્લાહના બંદા હતા, અને મસીહ ન તો પોતાની ઈબાદત કરતા હતા ન તો પોતાની માતાની, એવી જ રીતે મુહમ્મદ ...