શા માટે મુસ્લિમો કાબા તરફ મોઢું કરીને નમાઝ પઢે છે?

શા માટે મુસ્લિમો કાબા તરફ મોઢું કરીને નમાઝ પઢે છે?

અલ્લાહ તઆલાએ કઅબાહ [૨૯૭], પવિત્ર ઘર, નમાઝ માટેનું પ્રથમ ઘર અને ઈમાનવાળાઓ માટે એકતાનું પ્રતીક બનાવ્યું કારણ કે વિશ્વભરના તમામ મુસ્લિમો નમાઝના સમયે વર્તુળો બનાવે છે અને મધ્યમાં મક્કા આવે છે. કુરઆન બંદાઓ અને પ્રકૃતિ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાના ઘણા દ્રશ્યો રજૂ કરે છે જેમ કે પયગંબર દાઉદ સાથે પર્વતો અને પક્ષીઓનું તસ્બીહ કરવું અને તિલાવત કરવી. "અને અમે દાઉદ પર પોતાની કૃપા કરી (અને પર્વતોને આદેશ આપ્યો હતો કે) હે પર્વતો ! દાઉદ સાથે મન લગાવી અલ્લાહના નામની તસ્બીહ કરો અને પક્ષીઓને પણ (આ જ આદેશ આપવામાં આવ્યો છે) અને અમે તેના માટે લોખંડને નરમ કરી દીધું હતું" [૨૯૮]. ઇસ્લામ એક કરતાં વધુ જગ્યાઓ પર પુષ્ટિ કરે છે કે સમગ્ર બ્રહ્માંડ તેના તમામ જીવો સાથે સૃષ્ટિના પાલનહારને તસ્બીહ અને પવિત્રતા વર્ણન કરે છે. અલ્લાહ તઆલા એ કહ્યું: પવિત્ર કાબા એક ચોરસ આકારનું માળખું છે, લગભગ સમઘન જેવું. તે મક્કામાં પવિત્ર મસ્જિદની મધ્યમાં આવેલું છે. તેમાં દરવાજો છે પણ બારી નથી. તેની અંદર કંઈ નથી અને તે કોઈની કબર નથી, બલ્કે તે નમાઝ માટે ખંડ છે. કાબાની અંદર નમાઝ પઢનાર મુસલમાન કોઈપણ દિશામાં જઈ શકે છે. સમગ્ર ઇતિહાસમાં તે ઘણી વખત નવીકરણ કરવામાં આવ્યું હતું. ઇબ્રાહિમ અ.સ. અને તેમના પુત્ર ઇસ્માઇલ અ.સ. સાથે મળીને તેનો પાયો ઉભો કરનાર પ્રથમ હતા. તેના એક ખૂણામાં કાળો પથ્થર આવેલો છે. એવું માનવામાં આવે છે કે તે આદમ (અ.સ.) ના સમયનો છે; જો કે, તેની પાસે કોઈ અલૌકિક શક્તિ નથી પરંતુ તે મુસ્લિમો માટે પ્રતીકનું પ્રતિનિધિત્વ કરે છે. (સબા: ૧૦).

Source

કેટેગરીઓ

related_questions

પયગંબર મુહમ્મદ ﷺ તેઓ: અરબના એક ખાનદાન કુરૈશ જે મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ્ મુત્તલિબ બિન હાશિમ છે, જેઓ મક્કાહમાં રહેતા હતા અને તે ઈસ્માઈલ બિન ઈબ્રાહીમની સંતાન માંથી હતા.

નિર્માતાએ પ્રકૃતિના નિયમો અને તરીકાઓ મૂક્યા છે જે તેનું નિયમન કરે છે, અને તે ફસાદ અથવા પર્યાવરણીય અસંતુલન દેખાય ત્યારે તે પોતાનો બચાવ છે, તે પોતાની જાતને સુરક્ષિત કરે છે અને પૃથ્વી પર સુધારણા હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે આ સંતુલન જાળવી રાખે છે અને ખાતરી કરે છે કે જીવન વધુ ...

ઇસ્લામ પૂર્વેના યુગમાં સ્ત્રીઓ વારસાથી વંચિત હતી, જ્યારે ઇસ્લામ આવ્યો ત્યારે તેઓને માત્ર વારસામાં સમાવવામાં આવ્યા ન હતા પરંતુ તેઓને પુરૂષોના સમાન અથવા વધુ હિસ્સા પણ આપવામાં આવ્યા હતા, અને કેટલાક કિસ્સાઓમાં સ્ત્રી વારસામાં હકદાર છે જ્યારે પુરુષ નથી. અન્ય કિસ્સાઓમાં, ઉંચ્ચ વંશ અને સગપણના કારણે પુરુષોને સ્ત્રીઓ કરતાં વધુ ...

અલ્લાહ તઆલા એ માણસને અન્ય તમામ જીવોથી તર્ક દ્વારા અલગ પાડ્યો છે, અને અલ્લાહ એ તે દરેક વસ્તુઓ જે આપણને કંઈ પણ નુકસાન પહોંચાડે છે અને આપણા દિમાગ અને શરીરને નુકસાન પહોંચાડે છે તેના પર પ્રતિબંધિત લગાવ્યો છે, અને તેથી નશો કરનારી દરેક વસ્તુ આપણા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે, ...

હા, ઇસ્લામ દરેક લોકો માટે છે અને તેઓ તેનો સ્વીકાર પણ કરી શકે છે, દરેક બાળક પોતાની સાચી ફિતરત પર જન્મે છે, કોઈને ભાગીદાર બનાવ્યા વગર ઈબાદત કરતો હોય છે, (મુસલમાન) પરિવાર, શાળા કે કોઈ પણ ધાર્મિક પક્ષના હસ્તક્ષેપ વિના, તે પ્રત્યક્ષ રીતે પાલનહારની ઈબાદત કરે છે, પુખ્તવય સુધી, પછી ...
સફળતાપૂર્વક મોકલ્યું