શા માટે મુસ્લિમો કાબા તરફ મોઢું કરીને નમાઝ પઢે છે?

શા માટે મુસ્લિમો કાબા તરફ મોઢું કરીને નમાઝ પઢે છે?

અલ્લાહ તઆલાએ કઅબાહ [૨૯૭], પવિત્ર ઘર, નમાઝ માટેનું પ્રથમ ઘર અને ઈમાનવાળાઓ માટે એકતાનું પ્રતીક બનાવ્યું કારણ કે વિશ્વભરના તમામ મુસ્લિમો નમાઝના સમયે વર્તુળો બનાવે છે અને મધ્યમાં મક્કા આવે છે. કુરઆન બંદાઓ અને પ્રકૃતિ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાના ઘણા દ્રશ્યો રજૂ કરે છે જેમ કે પયગંબર દાઉદ સાથે પર્વતો અને પક્ષીઓનું તસ્બીહ કરવું અને તિલાવત કરવી. "અને અમે દાઉદ પર પોતાની કૃપા કરી (અને પર્વતોને આદેશ આપ્યો હતો કે) હે પર્વતો ! દાઉદ સાથે મન લગાવી અલ્લાહના નામની તસ્બીહ કરો અને પક્ષીઓને પણ (આ જ આદેશ આપવામાં આવ્યો છે) અને અમે તેના માટે લોખંડને નરમ કરી દીધું હતું" [૨૯૮]. ઇસ્લામ એક કરતાં વધુ જગ્યાઓ પર પુષ્ટિ કરે છે કે સમગ્ર બ્રહ્માંડ તેના તમામ જીવો સાથે સૃષ્ટિના પાલનહારને તસ્બીહ અને પવિત્રતા વર્ણન કરે છે. અલ્લાહ તઆલા એ કહ્યું: પવિત્ર કાબા એક ચોરસ આકારનું માળખું છે, લગભગ સમઘન જેવું. તે મક્કામાં પવિત્ર મસ્જિદની મધ્યમાં આવેલું છે. તેમાં દરવાજો છે પણ બારી નથી. તેની અંદર કંઈ નથી અને તે કોઈની કબર નથી, બલ્કે તે નમાઝ માટે ખંડ છે. કાબાની અંદર નમાઝ પઢનાર મુસલમાન કોઈપણ દિશામાં જઈ શકે છે. સમગ્ર ઇતિહાસમાં તે ઘણી વખત નવીકરણ કરવામાં આવ્યું હતું. ઇબ્રાહિમ અ.સ. અને તેમના પુત્ર ઇસ્માઇલ અ.સ. સાથે મળીને તેનો પાયો ઉભો કરનાર પ્રથમ હતા. તેના એક ખૂણામાં કાળો પથ્થર આવેલો છે. એવું માનવામાં આવે છે કે તે આદમ (અ.સ.) ના સમયનો છે; જો કે, તેની પાસે કોઈ અલૌકિક શક્તિ નથી પરંતુ તે મુસ્લિમો માટે પ્રતીકનું પ્રતિનિધિત્વ કરે છે. (સબા: ૧૦).

Source

કેટેગરીઓ

related_questions

આ બધું હોવા છતાં, એ જાણવું જોઈએ કે આ જીવનમાં માણસના વાસ્તવિક અધિકારો મર્યાદિત છે, અને અલ્લાહ સર્વશક્તિમાન આપણને ફક્ત તે માટે જ જવાબદાર ઠેરવશે જે આપણને પસંદ કરવાની સ્વતંત્રતા આપી છે. ઉદાહરણ તરીકે, આપણે જે સંજોગો અને વાતાવરણમાં રહીએ છીએ તે આપણે પસંદ નથી કર્યું, કે આપણે આપણે માતા-પિતાને ...

વિદ્યાર્થીઓ જ્યારે નવા કાર્યકારી જીવનનો સંપર્ક કરે છે ત્યારે તેઓને રેન્ક અને ગ્રેડ પર અલગ પાડવા માટે પરીક્ષા બનાવવામાં આવી છે, પરીક્ષા ટૂંકી હોવા છતાં તે આગળના નવા જીવન તરફ વિદ્યાર્થીનું ભાવિ નક્કી કરે છે. તેવી જ રીતે, આ જગતનું જીવન, ટૂંકુ હોવા છતાં મનુષ્ય માટે અજમાયશ અને પરીક્ષાના ઘર ...

પહેલી આયત: "દીન બાબતે કોઇ બળજબરી નથી, હિદાયત ગુમરાહીના બદલામાં સ્પષ્ટ થઈ ગઈ છે..." [૧૫૪]. આ આયતમાં એક મહાન ઇસ્લામિક સિદ્ધાંત નક્કી કરેલો છે, જે ધર્મ પર બળજબરી પર પ્રતિબંધ છે. જ્યારે બીજી આયતમાં: "અહેલે કિતાબ માંથી તે લોકો સાથે યુદ્ધ કરો, જેઓ ન તો અલ્લાહ પર ઈમાન લાવે છે, ...

અલ્લાહ તઆલા કહે છે:

હકીકતમાં, માથું ખોલવું એ સંપૂર્ણ પછાતપણું છે, શું આદમના સમયથી આગળ પણ કોઈ પછાતપણું છે; જ્યારથી અલ્લાહ એ આદમ અને તેની પત્નીને પેદા કર્યા અને તેમણે જન્નતમાં રહેવા માટે મોકલ્યા ત્યારથી તેમને કપડાં પહેરવા અને પરદો કરવા માટે જવાબદાર બનાવ્યા હતા.
સફળતાપૂર્વક મોકલ્યું