શા માટે મુસ્લિમો કાબા તરફ મોઢું કરીને નમાઝ પઢે છે?

શા માટે મુસ્લિમો કાબા તરફ મોઢું કરીને નમાઝ પઢે છે?

અલ્લાહ તઆલાએ કઅબાહ [૨૯૭], પવિત્ર ઘર, નમાઝ માટેનું પ્રથમ ઘર અને ઈમાનવાળાઓ માટે એકતાનું પ્રતીક બનાવ્યું કારણ કે વિશ્વભરના તમામ મુસ્લિમો નમાઝના સમયે વર્તુળો બનાવે છે અને મધ્યમાં મક્કા આવે છે. કુરઆન બંદાઓ અને પ્રકૃતિ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાના ઘણા દ્રશ્યો રજૂ કરે છે જેમ કે પયગંબર દાઉદ સાથે પર્વતો અને પક્ષીઓનું તસ્બીહ કરવું અને તિલાવત કરવી. "અને અમે દાઉદ પર પોતાની કૃપા કરી (અને પર્વતોને આદેશ આપ્યો હતો કે) હે પર્વતો ! દાઉદ સાથે મન લગાવી અલ્લાહના નામની તસ્બીહ કરો અને પક્ષીઓને પણ (આ જ આદેશ આપવામાં આવ્યો છે) અને અમે તેના માટે લોખંડને નરમ કરી દીધું હતું" [૨૯૮]. ઇસ્લામ એક કરતાં વધુ જગ્યાઓ પર પુષ્ટિ કરે છે કે સમગ્ર બ્રહ્માંડ તેના તમામ જીવો સાથે સૃષ્ટિના પાલનહારને તસ્બીહ અને પવિત્રતા વર્ણન કરે છે. અલ્લાહ તઆલા એ કહ્યું: પવિત્ર કાબા એક ચોરસ આકારનું માળખું છે, લગભગ સમઘન જેવું. તે મક્કામાં પવિત્ર મસ્જિદની મધ્યમાં આવેલું છે. તેમાં દરવાજો છે પણ બારી નથી. તેની અંદર કંઈ નથી અને તે કોઈની કબર નથી, બલ્કે તે નમાઝ માટે ખંડ છે. કાબાની અંદર નમાઝ પઢનાર મુસલમાન કોઈપણ દિશામાં જઈ શકે છે. સમગ્ર ઇતિહાસમાં તે ઘણી વખત નવીકરણ કરવામાં આવ્યું હતું. ઇબ્રાહિમ અ.સ. અને તેમના પુત્ર ઇસ્માઇલ અ.સ. સાથે મળીને તેનો પાયો ઉભો કરનાર પ્રથમ હતા. તેના એક ખૂણામાં કાળો પથ્થર આવેલો છે. એવું માનવામાં આવે છે કે તે આદમ (અ.સ.) ના સમયનો છે; જો કે, તેની પાસે કોઈ અલૌકિક શક્તિ નથી પરંતુ તે મુસ્લિમો માટે પ્રતીકનું પ્રતિનિધિત્વ કરે છે. (સબા: ૧૦).

Source

કેટેગરીઓ

related_questions

ઇસ્લામ પહેલા લોકોમાં ગુલામીનો રીવાજ હતો, અને તેમાં કોઈ પણ પ્રકારની મર્યાદાઓ ન હતી, ગુલામી વિરુદ્ધ ઇસ્લામની મહેનતનો હેતું સંપૂણ સમાજના દૃષ્ટિકોણ અને માનસિકતાને બદલવાનો હતો, જેથી ગુલામો, તેમની મુક્તિ પછી, દેખાવો, હડતાલ, નાગરિક અસહકાર અથવા તો વંશીય ક્રાંતિનો આશરો લીધા વિના, સમાજના સંપૂર્ણ અને સક્રિય સભ્યો બની જાય. ઇસ્લામનો ...

પયગંબરે કુરઆનને વિશ્વાસપાત્ર સહાબાઓ દ્વારા લખી રાખ્યું જેથી કરીને તેને વાંચી શકાય અને અન્યને શિખવાડવામાં આવે. અને જ્યારે અબુ બકર રઝી. એ ખિલાફત સંભાળી, તો તેમણે આ સહિફાઓને સંગ્રહ કરવાનો આદેશ આપ્યો જેથી તે એક જગ્યાએ ભેગું થઇ જાય અને તેનો સંદર્ભ લઈ શકાય. અને ઉષ્માન રઝી.ના યુગમાં, તેમણે સહબાઓ ...

સંપૂણ ઈતિહાસમાં મક્કાહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, લોકો દર વર્ષે દુનિયાના ખુણે ખૂણેથી પણ આવી તેની મુલાકાત લે છે, અને અરબના સંપૂણ લોકો તેની પવિત્રતાનું ધ્યાન રાખે છે, જુના કરારમાં પણ આના વિષે ભવિષ્યવાળી કરવામાં આવી હતી, "બક્કાહની ખીણ માંથી પસાર થઇ તેને ઝરણું બનાવતા હતા" [૩૦૦].

અલ્લાહ મૃતકોને એવી રીતે જ જીવિત કરે છે જે રીતે પહેલી વખતમાં તેમણે પેદા કર્યા હતા.

હકીકતમાં, અલ્લાહ ઇચ્છે છે કે તેના બધા બંદાઓ તેના પર ઈમાન ધરાવે.
સફળતાપૂર્વક મોકલ્યું