શા માટે મુસ્લિમો કાબા તરફ મોઢું કરીને નમાઝ પઢે છે?

શા માટે મુસ્લિમો કાબા તરફ મોઢું કરીને નમાઝ પઢે છે?

અલ્લાહ તઆલાએ કઅબાહ [૨૯૭], પવિત્ર ઘર, નમાઝ માટેનું પ્રથમ ઘર અને ઈમાનવાળાઓ માટે એકતાનું પ્રતીક બનાવ્યું કારણ કે વિશ્વભરના તમામ મુસ્લિમો નમાઝના સમયે વર્તુળો બનાવે છે અને મધ્યમાં મક્કા આવે છે. કુરઆન બંદાઓ અને પ્રકૃતિ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાના ઘણા દ્રશ્યો રજૂ કરે છે જેમ કે પયગંબર દાઉદ સાથે પર્વતો અને પક્ષીઓનું તસ્બીહ કરવું અને તિલાવત કરવી. "અને અમે દાઉદ પર પોતાની કૃપા કરી (અને પર્વતોને આદેશ આપ્યો હતો કે) હે પર્વતો ! દાઉદ સાથે મન લગાવી અલ્લાહના નામની તસ્બીહ કરો અને પક્ષીઓને પણ (આ જ આદેશ આપવામાં આવ્યો છે) અને અમે તેના માટે લોખંડને નરમ કરી દીધું હતું" [૨૯૮]. ઇસ્લામ એક કરતાં વધુ જગ્યાઓ પર પુષ્ટિ કરે છે કે સમગ્ર બ્રહ્માંડ તેના તમામ જીવો સાથે સૃષ્ટિના પાલનહારને તસ્બીહ અને પવિત્રતા વર્ણન કરે છે. અલ્લાહ તઆલા એ કહ્યું: પવિત્ર કાબા એક ચોરસ આકારનું માળખું છે, લગભગ સમઘન જેવું. તે મક્કામાં પવિત્ર મસ્જિદની મધ્યમાં આવેલું છે. તેમાં દરવાજો છે પણ બારી નથી. તેની અંદર કંઈ નથી અને તે કોઈની કબર નથી, બલ્કે તે નમાઝ માટે ખંડ છે. કાબાની અંદર નમાઝ પઢનાર મુસલમાન કોઈપણ દિશામાં જઈ શકે છે. સમગ્ર ઇતિહાસમાં તે ઘણી વખત નવીકરણ કરવામાં આવ્યું હતું. ઇબ્રાહિમ અ.સ. અને તેમના પુત્ર ઇસ્માઇલ અ.સ. સાથે મળીને તેનો પાયો ઉભો કરનાર પ્રથમ હતા. તેના એક ખૂણામાં કાળો પથ્થર આવેલો છે. એવું માનવામાં આવે છે કે તે આદમ (અ.સ.) ના સમયનો છે; જો કે, તેની પાસે કોઈ અલૌકિક શક્તિ નથી પરંતુ તે મુસ્લિમો માટે પ્રતીકનું પ્રતિનિધિત્વ કરે છે. (સબા: ૧૦).

Source

કેટેગરીઓ

related_questions

એક સદાચારી મુસલમાન પયગંબર મુહમ્મદના સહાબાનું અનુસરણ કરે છે, તેમની સાથે મોહબ્બત કરે છે, અને તેમની જેમ નેક બનવાનો પ્રયત્ન કરે છે, અને ફક્ત એક જ અલ્લાહની ઈબાદત કરે છે જેવી રીતે તેઓ કરતા હતા, પરંતુ તેઓ તેમને પવિત્ર નથી કરતા, અને ન તો પોતાની અને પોતાના પાલનહાર વચ્ચે મધ્યસ્થ ...

જે વ્યક્તિ પોતાના માતા-પિતાથી અલગ થઈ જાય છે, તેમને ઘરમાંથી કાઢી મૂકે છે અને તેમને રસ્તા વચ્ચે છોડી દે છે તેના વિશે તમને કેવું લાગશે?

માનવીના નિયમો પ્રમાણે આ જાણવામાં આવ્યું છે કે રાજા અથવા અધિકારીઓના આદેશોનું ઉલ્લંઘન અન્ય ગુનાહો સાથે સમાન ધોરણે નથી. તો, જે બધા રાજાઓનો રાજા છે તેના વિષે તમે શું વિચારો છો? તેના બંદાઓ પર અલ્લાહ સર્વશક્તિમાનનો હક તે છે તેઓ ફક્ત તેની જ ઈબાદત કરે જેમ કે નબી ﷺ એ ...

અલ્લાહ પોતાના સર્જક સાથે વહી દ્વારા કેવી રીતે વાત કરે છે તેની દલીલો:

ઈમામ શબદનો અર્થ જે લોકોને નમાઝ પઢાવતો હોઈ, અથવા તેમની બાબતો અને મઆમલામાં દેખરેખ અથવા આગેવાની કરતો હોય, આ કોઈ ધાર્મિક પદ નથી, જે ફક્ત ચોક્કસ લોકો સુધી સીમિત હોઈ, અને ઇસ્લામમાં કોઈ જૂથ કે જ્ઞાતિવાદ નથી, પરંતુ દીન દરેક માટે છે, લોકો અલ્લાહ સમક્ષ કાંસકીના દાંતરડા જેવા છે, એટલા ...
સફળતાપૂર્વક મોકલ્યું