શા માટે મુસ્લિમો કાબા તરફ મોઢું કરીને નમાઝ પઢે છે?

શા માટે મુસ્લિમો કાબા તરફ મોઢું કરીને નમાઝ પઢે છે?

અલ્લાહ તઆલાએ કઅબાહ [૨૯૭], પવિત્ર ઘર, નમાઝ માટેનું પ્રથમ ઘર અને ઈમાનવાળાઓ માટે એકતાનું પ્રતીક બનાવ્યું કારણ કે વિશ્વભરના તમામ મુસ્લિમો નમાઝના સમયે વર્તુળો બનાવે છે અને મધ્યમાં મક્કા આવે છે. કુરઆન બંદાઓ અને પ્રકૃતિ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાના ઘણા દ્રશ્યો રજૂ કરે છે જેમ કે પયગંબર દાઉદ સાથે પર્વતો અને પક્ષીઓનું તસ્બીહ કરવું અને તિલાવત કરવી. "અને અમે દાઉદ પર પોતાની કૃપા કરી (અને પર્વતોને આદેશ આપ્યો હતો કે) હે પર્વતો ! દાઉદ સાથે મન લગાવી અલ્લાહના નામની તસ્બીહ કરો અને પક્ષીઓને પણ (આ જ આદેશ આપવામાં આવ્યો છે) અને અમે તેના માટે લોખંડને નરમ કરી દીધું હતું" [૨૯૮]. ઇસ્લામ એક કરતાં વધુ જગ્યાઓ પર પુષ્ટિ કરે છે કે સમગ્ર બ્રહ્માંડ તેના તમામ જીવો સાથે સૃષ્ટિના પાલનહારને તસ્બીહ અને પવિત્રતા વર્ણન કરે છે. અલ્લાહ તઆલા એ કહ્યું: પવિત્ર કાબા એક ચોરસ આકારનું માળખું છે, લગભગ સમઘન જેવું. તે મક્કામાં પવિત્ર મસ્જિદની મધ્યમાં આવેલું છે. તેમાં દરવાજો છે પણ બારી નથી. તેની અંદર કંઈ નથી અને તે કોઈની કબર નથી, બલ્કે તે નમાઝ માટે ખંડ છે. કાબાની અંદર નમાઝ પઢનાર મુસલમાન કોઈપણ દિશામાં જઈ શકે છે. સમગ્ર ઇતિહાસમાં તે ઘણી વખત નવીકરણ કરવામાં આવ્યું હતું. ઇબ્રાહિમ અ.સ. અને તેમના પુત્ર ઇસ્માઇલ અ.સ. સાથે મળીને તેનો પાયો ઉભો કરનાર પ્રથમ હતા. તેના એક ખૂણામાં કાળો પથ્થર આવેલો છે. એવું માનવામાં આવે છે કે તે આદમ (અ.સ.) ના સમયનો છે; જો કે, તેની પાસે કોઈ અલૌકિક શક્તિ નથી પરંતુ તે મુસ્લિમો માટે પ્રતીકનું પ્રતિનિધિત્વ કરે છે. (સબા: ૧૦).

Source

કેટેગરીઓ

related_questions

માંસ એ પ્રોટીનનો આવશ્યક સ્ત્રોત છે, અને માણસોના સપાટ અને પોઇંટેડ દાંત હોય છે, અને આ દાંત માંસને ચાવવા અને પીસવા માટે યોગ્ય છે. અને પાલનહારે માણસ માટે છોડ અને પ્રાણીઓ ખાવા માટે યોગ્ય દાંત બનાવ્યા છે, અને તેણે છોડ અને પ્રાણીઓના ખોરાકને પચાવવા માટે યોગ્ય પાચન તંત્ર બનાવ્યું છે, ...

સૃષ્ટિ અને ઘટનાઓ તમામ પુરાવા એ હકીકત સૂચવે છે કે જીવનમાં પુનર્નિર્માણ અને સર્જન થતું રહે છે, આના ઘણા ઉદાહરણો છે, જેમકે, વરસાદ જમીનને તેના મૃત્યુ પછી ફરી જીવિત કરે છે.

પયગંબર મૂસા એક યોદ્વા હતા, અને દાવૂદ અ.સ. પણ એક યોદ્વા હતા. મૂસા અને મુહમ્મદ, રાજકીય અને દુન્યવી બાબતોની લગામ ધારણ કરી, અને તેમાંથી દરેકે મૂર્તિપૂજક સમાજને છોડી હિજરત કરી. તેથી મૂસાએ તેમના લોકો સાથે મિસર છોડી દીધું, અને મુહમ્મદ ﷺ એ મદીના તરફ હિજરત કરી, અને તે પહેલાં તેમના ...

અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "અલ્લાહની કસમ તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, પૂછવામાં આવ્યું હે અલ્લાહના રસૂલ ﷺ કોણ? આપ ﷺ એ કહ્યું કે તે વ્યક્તિ જેનો પાડોશી તેના તકલીફ આપવાથી સુરક્ષિત ન હોય" [૨૪૯]. (બુખારી અને મુસ્લિમ).

ખાવા-પીવાની જરૂરિયાત કરતાં પણ વધુ દીન જરૂરી છે. માણસ સ્વભાવે ધાર્મિક (ધર્મના આદેશો પર અમલ કરનાર) છે, તેથી જો તેને સાચા દીનનું માર્ગદર્શન આપવામાં નહીં આવે, તો તે પોતાના માટે એક ધર્મની શોધ કરશે, જે લોકો દ્વારા શોધાયેલો હશે, જેવું કે મૂર્તિપૂજક ધર્મોમાં થયું છે. માનવીને આ દુનિયામાં શાંતિની એવી ...
સફળતાપૂર્વક મોકલ્યું