શા માટે મુસ્લિમો કાબા તરફ મોઢું કરીને નમાઝ પઢે છે?

શા માટે મુસ્લિમો કાબા તરફ મોઢું કરીને નમાઝ પઢે છે?

عربى English spanish Русский 中文

અલ્લાહ તઆલાએ કઅબાહ [૨૯૭], પવિત્ર ઘર, નમાઝ માટેનું પ્રથમ ઘર અને ઈમાનવાળાઓ માટે એકતાનું પ્રતીક બનાવ્યું કારણ કે વિશ્વભરના તમામ મુસ્લિમો નમાઝના સમયે વર્તુળો બનાવે છે અને મધ્યમાં મક્કા આવે છે. કુરઆન બંદાઓ અને પ્રકૃતિ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાના ઘણા દ્રશ્યો રજૂ કરે છે જેમ કે પયગંબર દાઉદ સાથે પર્વતો અને પક્ષીઓનું તસ્બીહ કરવું અને તિલાવત કરવી. "અને અમે દાઉદ પર પોતાની કૃપા કરી (અને પર્વતોને આદેશ આપ્યો હતો કે) હે પર્વતો ! દાઉદ સાથે મન લગાવી અલ્લાહના નામની તસ્બીહ કરો અને પક્ષીઓને પણ (આ જ આદેશ આપવામાં આવ્યો છે) અને અમે તેના માટે લોખંડને નરમ કરી દીધું હતું" [૨૯૮]. ઇસ્લામ એક કરતાં વધુ જગ્યાઓ પર પુષ્ટિ કરે છે કે સમગ્ર બ્રહ્માંડ તેના તમામ જીવો સાથે સૃષ્ટિના પાલનહારને તસ્બીહ અને પવિત્રતા વર્ણન કરે છે. અલ્લાહ તઆલા એ કહ્યું: પવિત્ર કાબા એક ચોરસ આકારનું માળખું છે, લગભગ સમઘન જેવું. તે મક્કામાં પવિત્ર મસ્જિદની મધ્યમાં આવેલું છે. તેમાં દરવાજો છે પણ બારી નથી. તેની અંદર કંઈ નથી અને તે કોઈની કબર નથી, બલ્કે તે નમાઝ માટે ખંડ છે. કાબાની અંદર નમાઝ પઢનાર મુસલમાન કોઈપણ દિશામાં જઈ શકે છે. સમગ્ર ઇતિહાસમાં તે ઘણી વખત નવીકરણ કરવામાં આવ્યું હતું. ઇબ્રાહિમ અ.સ. અને તેમના પુત્ર ઇસ્માઇલ અ.સ. સાથે મળીને તેનો પાયો ઉભો કરનાર પ્રથમ હતા. તેના એક ખૂણામાં કાળો પથ્થર આવેલો છે. એવું માનવામાં આવે છે કે તે આદમ (અ.સ.) ના સમયનો છે; જો કે, તેની પાસે કોઈ અલૌકિક શક્તિ નથી પરંતુ તે મુસ્લિમો માટે પ્રતીકનું પ્રતિનિધિત્વ કરે છે. (સબા: ૧૦).

Source

કેટેગરીઓ

Related Questions

વિદ્યાર્થીઓ જ્યારે નવા કાર્યકારી જીવનનો સંપર્ક કરે છે ત્યારે તેઓને રેન્ક અને ગ્રેડ પર અલગ પાડવા માટે પરીક્ષા બનાવવામાં આવી છે, પરીક્ષા ટૂંકી હોવા છતાં તે આગળના નવા જીવન તરફ વિદ્યાર્થીનું ભાવિ નક્કી કરે છે. તેવી જ રીતે, આ જગતનું જીવન, ટૂંકુ હોવા છતાં મનુષ્ય માટે અજમાયશ અને પરીક્ષાના ઘર ...

પશ્ચિમી અનુભવ મધ્ય યુગમાં લોકોની ક્ષમતાઓ અને મન પર ચર્ચ અને રાજ્યના વર્ચસ્વ અને જોડાણની પ્રતિક્રિયા તરીકે આવ્યો હતો. ઇસ્લામિક પ્રણાલીની વ્યવહારિકતા અને તર્કને જોતાં ઇસ્લામિક વિશ્વને ક્યારેય આ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.

અલ્લાહ તઆલા કહે છે:

હુદૂદ (પ્રતિબંધો એટલા માટે કે) જમીનમાં ભ્રષ્ટાચાર ફેલાવવાનો ઇરાદો ધરાવતા લોકોને અટકાવવા અને સજા કરવા માટે સુયોજિત કરવામાં આવ્યા હતા, એ પુરાવા સાથે કે તેઓ ભૂખ અને અતિશય જરૂરિયાતને કારણે આકસ્મિક હત્યા અથવા ચોરીના કેસોમાં સસ્પેન્ડ કરવામાં આવે છે. હુદૂદ (પ્રતિબંધો) નાના બાળકો, પાગલ અથવા માનસિક રીતે બીમાર લોકો પર ...

એક મુસલામન પતિ પોતાની ઈસાઈ અથવા યહૂદી પત્નીના મૂળ ધર્મ, તેની કિતાબ અને તેના પયગંબરનો આદર કરે છે, અને તે વગર તેનું ઈમાન સંપૂણ ગણવામાં નથી આવતું, અને તે પોતાની પત્નીને તેના મૂળ ધર્મના રીવાજોનું પાલન કરવાની સંપૂણ સ્વતંત્રતા આપે છે, તેનાથી વિરુદ્ધ, જોકે સાચું નથી, જો કોઈ ઈસાઈ અથવા ...
સફળતાપૂર્વક મોકલ્યું